પાટણ શહેરના વોર્ડ નં .10 ના કાલી બજાર માર્ગ પર ભૂગર્ભ ગટર ની સમસ્યા ને લઇ રહીશોમાં રોષ
![](/wp-content/uploads/2024/06/IMG-20240628-WA0074-686x470.jpg)
પાલિકા તંત્ર સહિત શાખાના અધિકારીઓને લેખિત અને મૌખિક રજુઆત કરવા છતાં પરિસ્થિતિ જૈસે થૈ, પાટણ શહેરમાં ચોમાસા ની શરૂઆત થઈ ગઈ છે. શહેરના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ ની સાથે સાથે શહેરના કેટલાક વિસ્તારોમાં ભૂગર્ભ ગટર લાઈન ચોક અપ બનવાની સમસ્યાઓને લઈ માર્ગો ઉપર રેલાતા દૂષિત પાણીના કારણે લોકોમાં રોગ ચાળો ફેલાય તેવી દહેસત ઉભી થવા પામી છે .
ત્યારે શહેરના વોર્ડ નંબર 10 વિસ્તારમાં આવતા કાલી બજાર વિસ્તારના માર્ગો પર છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર ચોક અપ બનવાના કારણે ગંદા પાણીની રેલમછેલ આ વિસ્તાર ના માગૅ પર સજૉઈ છે.
તો આ વિસ્તારમાં આવેલ મસ્જિદમાં નમાજ માટે આવતા મુસલીમ બિરાદરો ની ધાર્મિક આસ્થા ને પણ ઢેસ પહોચી રહી હોય ત્યારે આ સમસ્યાના નિરાકરણ માટે મુસ્લિમ સમાજના અગ્રણીઓ ભુરાભાઈ સૈયદ,યુસુફભાઈ બલોચ,જમાલભાઈ સોદાગર સહિત નાઓ દ્રારા અનેક વખત પાલિકા સતાધીશો સહિત ભૂગર્ભ ગટર શાખાના અધિકારીઓ સમક્ષ લેખિત અને મૌખિક રજુઆત કરવા છતાં આજદિન સુધી આ ભૂગર્ભ ગટર ની સમસ્યાનુ નિરાકરણ નહિ લવાતાં વિસ્તારના રહીશોમાં પાલિકા તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો. પાલિકા ના સતાધીશો વિકાસની મોટી મોટી વાતો બંધ કરી સાચા અથૅ મા વિકાસ ના કામો હાથ ધરી આવી પ્રાથમિક સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ લાવે તેવી લોક માગ પ્રબળ બની છે.