મહેસાણાના સાંસદ હરીભાઈ પટેલે જણાવ્યું હતું કે પાટીદાર સમાજ એવો સમાજ છે, જે સર્વ સમાજને સાથે રાખીને ચાલે છે, હું ધજા ના દર્શન કરતાં મા ઉમિયા માતાજી ને પ્રાર્થના કરું છું કે મા ઉમિયાના સહું પર આશિર્વાદ વરસતા રહે. પાટીદાર સમાજ દરેક
સમાજને સાથે રાખી ચાલે છે અને વિકાસ કરતો રહે છે. ધજા મહોત્સવનું આયોજન અતિ ભવ્ય આયોજન છે.
ધર્મના નેજા હેઠળ કાર્યો કરતા રહીએ:કીરીટ પટેલ
કુળદેવી ઉમિયા માતાજી મંદિર પર ધજા ચઢાવ્યા બાદ ઉંઝા આ ધારાસભ્ય કીરીટ ભાઈ પટેલે જણાવ્યું હતું કે ધજા મહોત્સવનું આયોજન ભવ્ય છે, દરેક સ્વયંસેવકો એ સુંદર આયોજન કર્યું છે. પાટીદાર સમાજ દરેક સમાજનું ભલું ઈચ્છે છે, ધર્મના નેજા હેઠળ સારા કાર્યો થતા રહે.
અહેવાલ :- આશિષ પટેલ, ઐઠોર