વિજ જોડાણ: ફ્યુઝ અને ખુલ્લા વાયરો હોવાનું સામે આવ્યુ પાલનપુર તાલુકા પંચાયત ભવન ના છજાઓમાં તિરાડો પડેલી હોવાથી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઇ રહી છે. તેમજ વિજવાયરો પણ ખુલ્લા હોવાનું સામે આવ્યુ છે. જેથી તંત્ર દ્વારા રીનોવેશન કરવામાં આવે તે જરૂરી બન્યું છે.
પાલનપુર તાલુકા પંચાયતમાં હાલમાં રાજકીય પક્ષની બોડી કાર્યરત નથી. તાલુકા પંચાયતમાં વહીવટદારનું શાસન છે. જોકે, તાલુકા પંચાયતની બિલ્ડીંગ અત્યારે જર્જરિત જોવા મળી રહી છે. મકાનમાં ઠેરઠેર તિરાડો પડેલી છે. જેને કારણે અરજદાર કામ અર્થે આવતા હોય અને તેમના ઉપર છત પરથી મલબો પડે અને દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર દ્વારા તાલુકા પંચાયતની બિલ્ડિંગ નું સમારકામ કરવામાં આવે તે જરૂરી બન્યું છે.
આ બિલ્ડિંગમાં વિજ વાયરો તેમજ ફ્યુઝના બોક્સ પણ ખુલ્લા જોવા મળ્યા હતા. જેથી વીજ વાયરોના કારણે કોઈ અકસ્માત સર્જાય તે પહેલા તેનું સમારકામ કરવામાં આવે તે જરૂરી છે. પાલનપુર તાલુકામાંથી રોજ બરોજ મોટી સંખ્યામાં અરજદારો તાલુકા પંચાયતમાં આવે છે. તેમના સાથે કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા તાલુકા પંચાયતનું રીનોવેશન કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.