गुजरातपाटन जिला

રાધનપુરમાં કાર્બાઇડથી કેરીઓ પકવી : બગડેલી કેરીઓનું બજારમાં વેચાણ થતું હોવાની રાવ

 

રાધનપુરમાં ફળોનો ધંધો કરતા વેપારીઓ ગોડાઉનમાં ખુલ્લેઆમ કાર્બાઇડથી કેરીઓ પકવવામાં આવતી હોવાનું અને બગડેલી કેરીઓનું બજારમાં વેચાણ થતું હોવાની રાવ ઉઠવા પામી છે. રાધનપુર શહેરી વિસ્તારમાં વિવિધ જગ્યા પર થતું કેરીનું વેચાણમાં વેપારીઓ દ્વારા ગોડાઉનમાં થી કાર્બાઇડથી પકવેલી કેરીઓ પકવીને વેચાણ કરવામાં આવતું હોવાથી સ્વાસ્થ્ય નુકસાન પહોંચાડે છે.ત્યારે સત્વરે કેરીઓ કાર્બાઇડથી પકવીને ગોડાઉનમાં વેપાર કરતા સામે કાર્યવાહી કરવા શહેરી જનો સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.

ભર ઉનાળે અંગ દજાડતી ગરમીમાં રાહત મેળવવા માટે લોકો કેરીનો રસ સહિત અને ઠંડા પદાર્થોનો ભરપૂર ઉપયોગ કરે છે. ત્યારે શહેરના અનેક વિસ્તારમાં કાર્બાઇડથી પકવેલી કેરીઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. કાર્બાઇડથી પકવેલી કેરીઓના વેચાણ કરીને ખુલ્લેઆમ ગ્રાહકોને છેતરવામાં આવી રહ્યા છે. શહેરી જનો પ્રતિ ભાવ કિલ્લો ૧૦૦ રું.આપીને ખરીદી કરી રહ્યા છે. અને તેનો લાભ મોટા વેપારીઓ ઉઠાવી રહ્યા છે. પાલિકા અને આરોગ્ય વિભાગ અને ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કેરીઓના ગોડાઉનની તપાસ કરી કાર્યવાહી કરવા લોકોની માંગ ઉઠવા પામી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×