गुजरातटॉप न्यूज़पाटन जिला

પાટણ : એસટી બસની ટક્કરે બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું

 

પાટણ શહેરના સિધ્ધપુર ચાર રસ્તા માર્ગ પરના નવીન બસસ્ટેન્ડ નજીક બુધવારે સવારે એસટી બસના ચાલકે માર્ગ પરથી પસાર થતાં બાઈક ચાલકને ટક્કર મારી હતી. જેથી બાઈક ચાલકનું એસટી બસના ટાયર નીચે ચગદાઇ જવાથી ઘટના સ્થળે જ મોત થયું હતું. આ બનાવને પગલે 108 અને પોલીસને જાણ કરતા તેઓએ ઘટના સ્થળે દોડી આવી લાશનું પંચનામું કરી તેને પીએમ માટે મોકલી મૃતકના પરિવારજનોને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. નવજીવન ચોકડી પાસે સર્જાયેલા અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટયા હતા.

 

અકસ્માત ની મળતી હકીકત મુજબ બુધવારે પાટણ-અનવરપુરા- હારીજ એસટી બસ નવજીવન ચોકડી તરફથી નવા બસસ્ટેન્ડ તરફ જઈ રહી હતી ત્યારે માગૅ પરથી બાઈક લઈને પસાર થઇ રહેલા ચાલકને એસટી બસની ટકકર લાગતા બાઈક ચાલક રોડ પર પટકાતાં એસટી બસના ટાયર તેની ઉપર ફરી વળતા બાઈક ચાલકનું ધટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

 

અકસ્માત ના બનાવના પગલે લોકો ના ટોળા એકત્ર થતાં પોલીસે ધટના સ્થળે આવી લાશનું પંચનામું કરી આગળ ની કાયૅવાહી હાથ ધરી છે. મૃતક બાઈક ચાલક શહેરની ગુરૂકુળ સ્કૂલ મા ફરજ બજાવતો હોવાનું અને સંખારી ગામનો રહીશ જગદીશભાઈ પ્રજાપતિ હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં આ અકસ્માત ના બનાવને લઈ પોલીસે કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×