![](/wp-content/uploads/2024/06/IMG-20240618-WA0592-688x470.jpg)
બનાસકાંઠાના થરાદ સાંચોર હાઇવે ઉપર આવેલ પાણીની ટાંકાથી લઈ બુઢણપુર સુધીનો રોડ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે. સાંચોર હાઇવે ભારતમાલાને જોડતો હાઇવે છેલ્લા કેટલાક દિવસોથી ખરાબ હાલતમાં હોવાથી અવરનવર અકસ્માતો પણ થતાં હોય છે અને આ રોડ ઉપર અનેક ખાડાઓ હોવાથી જેને લઇ અકસ્માતનો ભય વાહન ચાલકોમાં જોવા મળી રહે છે. હાઇવે પરના ખાડાઓ ટાળવા માટે વાહન ચાલકો જીવનું જોખમ લઈ ખાડાઓ ટાળતાં હોય છે. ત્યારે સામેથી આવતું વાહન ટકરાય તો મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે. જેને લઈને તંત્ર દ્વારા આ રોડનું સમારકામ કરવામાં આવે તેવી વાહન ચાલકોની માગ ઉઠવા પામી છે.
થરાદ દૂધ કેન્દ્રથી પાણીની ટાંકી સુધીનો બની રહેલ નવીન ફોરલાઈન રોડનું કામ ઝડપીથી ચાલી રહ્યું છે તો વાહન ચાલકોને પણ એવી માગ છે કે પાણી ટાંકીથી લઈ બુઢણપુર સુધીનો રોડ નવીન બની જાય તો વાહનચાલકો અકસ્માતથી પણ બચી શકે. જેથી કરીને તાત્કાલિક રીપેરીંગ અથવા નવીન રોડ કામગીરી કરવામાં આવે એવી માગ ઉઠવા પામી છે