પાણી પુરવઠા વિભાગ દ્વારા સિધ્ધી સરોવર ખાતે ના ફિલ્ટર પ્લાન્ટની મેન્ટેનન્સ કામગીરી હાથ ધરાઈ
મેન્ટેનન્સ કામગીરીને લઈ પાલિકા નો પાણી પુરવઠો બંધ કરાયો હોય મેન્ટેનન્સ કામ પૂર્ણ થયે પુરવઠો શરૂ કરાશે
પાલિકા પ્રમુખે મેન્ટેનન્સ ની કામગીરી શરૂ કરતાં પહેલાં પાલિકા ને સુચિત કરવા પુરવઠા વિભાગના કર્મચારીઓને સુચનાઆપી પાટણના નગરજનોને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા માટે પાલિકા પ્રમુખ કમર કસી છે. ત્યારે શનિવારે તેઓએ શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ સમસ્યાઓ જાણી તેના નિરાકરણ માટે પાલિકા ની જે તે શાખાના અધિકારીઓ અને કમૅચારીઓને સુચિત કરવામા આવ્યા હતા.
પાલિકા પ્રમુખ શનિવારે શહેરના સિધ્ધી સરોવરની મુલાકાત દરમિયાન સિદ્ધિ સરોવર માં કેટલાક લોકો કંઈક રીપેરીંગ કામ કરી રહ્યાં હોવાનું ધ્યાનમાં આવતા તેઓએ કામગીરી કરી રહેલ કમૅચારીઓ કઈ શાખા માથી આવો છો અને શું કામગીરી કરો છો તે અંગે પુછતા કમૅચારીઓએ જણાવેલ કે અમો પાણી પુરવઠા માંથી આવ્યાં છીએ અને ફિલ્ટર પ્લાન્ટ ના મેન્ટેનન્સ માટે ની કામગીરી કરી રહ્યા હોવાનું જણાવી આજ ના દિવસ પાલિકા નો પાણી પુરવઠો બંધ રાખવામાં આવ્યો હોવાનું પાલિકા પ્રમુખ ને જણાવતા પાલિકા પ્રમુખે કોઈ પણ કામગીરી કરતાં પહેલાં પાલિકા ના ધ્યાન પર લાવવા પાણી પુરવઠા વિભાગના કમૅચારીઓને ટકોર કરી હતી.
તો શહેરીજનોને પણ ફિલ્ટર પ્લાન્ટ ની મેન્ટેનન્સ ની કામગીરી ને કારણે શહેરીજનોને પાણી ની તકલીફ ભોગવવા બદલ દિલગીર વ્યકત કરી મેન્ટેનન્સ ની કામગીરી પૂર્ણ થયે શહેરીજનોને પાણી પુરવઠો ઉપલબ્ધ કરાશે તેમ જણાવ્યું હતું.