गुजरातटॉप न्यूज़पाटन जिला

પાટણ જિલ્લાના રાધનપુર મેઇન બજારનો મુખ્ય માર્ગ બનાવવા લોકોની માંગ : મસ મોટા ખાડા પડી જતાં વાહન ચાલકો પરેશાન

રાધનપુર હાઇવે થી મેઇન બજાર નો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં હોવાથી માર્ગ પર ઠેર-ઠેર મસ મોટા ભૂવાઓ પડી જવાથી વાહન ચાલકો અને સ્થાનિક વેપારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જેથી નવીન રોડ બનાવવા લોકો માંગ કરી રહ્યા છે.

 

રાધનપુર હાઇવે થી રાજગઢી સુધીનો બજાર નો મુખ્ય માર્ગ ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી માર્ગ પર મસ મોટા ખાડાઓ પડી ગયા છે. અને વાહન ચાલકો અવારનવાર ખાડાઓમાં પટકાય છે. અને જેથી અકસ્માત ના ભોગ બનતા હોય છે અને ચોમાસાની સિઝનના પહેલા વરસાદમાં માર્ગના ખાડામાં પાણી ભરાઈ જવાના કારણે ખાડાઓ માં વાહન ચાલકોએ પટકાય છે. અને વાહનને પણ નુકસાની થતી નજરે પડેછે. હજુ ચોમાસાની સિઝનની શરૂઆત થઈ છે અને બિસ્માર થી કિચડ થી વાહન ચાલકો અને રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે જેથી સત્વરે તંત્ર દ્વારા બજારના મુખ્ય માર્ગ પર પડેલ ભુવાઓ નું સમારકામ કરવામાં આવે તેમજ મુખ્ય માર્ગનું સમારકામ કરવા માં નહીં આવે તો આવનારા ચોમાસાની સિઝનમાં લોકો માટે વિકટ સમસ્યા સર્જાઈ શકે છે અને મુખ્ય માર્ગ બંધ કરવાની નોબત પણ આવી શકે છે જેથી સત્વરે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે મુખ્ય માર્ગનો સમારકામ કરવા સ્થાનિક વેપારીઓએ માંગ કરી છે

આ બાબતે સ્થાનિક વેપારીએ જણાવ્યું હતું.  કે મેઇન બજારનો મુખ્ય માર્ગ ઘણા સમયથી તૂટેલો છે અને માર્ગ પર મોટા-મોટા ખાડા પડી ગયેલા છે. જેથી લોકોને ભારે હાલાકી ભોગવી પડી રહે છે અને વાહન ચાલકો અવારનવાર ખાડામાં પટકાય છે જેથી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે માર્ગનું સમારકામ કરવા માંગ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×