પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામના ચરેડીવાસના લોકોએ 30 વર્ષથી વીજળી જોઈ નથી અને રાત્રીના સમયે ચરેડીવાસ માં અંધારપટ છવાઈ જાય છે.ત્યારે સાંતલપુરનાં કોરડા ગામના ચરેડીવાસમાં વીજળી થી વંચિત લોકો પરેશાન બન્યા છે. અહીંયા રોડ રસ્તાનો વિકાસ તો દૂરની વાત પણ ચરેડીવાસમાં
30 વર્ષથી લોકોના ઘરોમાં વીજળી જ નથી ત્યારે ભારત દેશને આઝાદીના 78 વર્ષ બાદ પણ કોરડા ગામના ચરેડીવાસમાં ઘરોમાં વીજળી નથી રાત પડે એટલે લોકો દીવા તળે કામ કરે છે.
કોરડા ગામ ખાતે આવેલ ચરેડીવાસ માં રાત્રીના સમયે અંધારપટ છવાઈ જતા લોકો પરેશાન બન્યા છે.વીજળી થી વંચિત લોકો હાલ મહામુશ્કેલી ભોગવી રહ્યા છે.ત્યારે તંત્ર પાસે ચરેડીવાસ ના લોકોએ વીજળી અને રોડ રસ્તા નવીન બનાવી આપવા માંગ કરી રહ્યા છે.