गुजरातगुड मॉर्निंग न्यूज़बनासकांठा

ભાભરની એચ.કે શાળા અને વિનાયક નગર સોસાયટીના ગેટ પાસે પાણી ભરાતા રોગચાળાનો ભય

 

ઠેરઠેર પાણીના ખાબોચિયા ભરાયા છતાં આરોગ્ય તંત્ર ઘોર નિંદ્રામાં: ભાભરમાં વિનાયક નગર સોસાયટીના ગેટ પાસે તેમજ એચ. કે. સ્કૂલની બહાર છેલ્લા પાંચ દિવસથી વરસાદ તેમજ ભૂગર્ભ ગટર ઉભરાવતા પાણી ભરાયા છે જેને લઇ પાણીનો  નિકાલ ના થતાં રોગચાળાનો ભય જોવા મળી રહ્યો છે. પાલિકા દ્વારા પાણીનો નિકાલ ના થતાં એક તરફ ચાંદીપુરા નામના વાયરસે ગુજરાતમાં માથું ઉચક્યું છે ત્યારે સરકાર દ્વારા પણ આરોગ્ય તંત્રને એલર્ટ રહેવા કહેવામાં આવ્યું છે.

ત્યારે શહેરની એચ .કે સ્કૂલમાં 250 થી વધુ બાળકો અભ્યાસ કરે છે. પણ સ્કૂલની બહાર જ વરસાદ તેમજ ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી ઉભરાતા ગંદુ પાણી ભરાતા રોગ રોગચાળાનો ભય જોવા મળી રહ્યો છે. છતાં આરોગ્ય તંત્ર જાણે નિદ્રામાં હોય તેમ ભાભરમાં ગંદકી તેમજ પાણી ભરાવાના ખાબોચિયામાં કોઈ દવા છંટકાવ કે નિકાલની કોઈ કાર્યવાહી ના કરાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કોઈ રોગચાળો ફેલાશે તો જવાબદાર કોણ ? તેવા પણ અનેક સવાલો ઉઠી રહયા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×