ઊંઝા ઓવરબ્રિજ પર ઠેર ઠેર ખાડા : તંત્ર થિંગડાના સહારે
ઊંઝા ઉનાવા હાઇવે થી વિસનગર રોડ પર આવેલ ઓવરબ્રિજ પર છેલ્લાં ઘણા સમયથી મસમોટા ખાડાઓ પડી ગયા છે.
તેમજ સળિયા પણ બહાર દેખાવવા લાગ્યા છે. જેને લઇ અહીંથી પસાર થતાં વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અને રાત્રે અકસ્માત થવાનો ભય પણ સતાવી રહ્યો છે. ઊંઝા હાઇવેથી વિસનગર રોડ પર જતા ઓવરબ્રિજની હાલત ઉબડ ખાબડ થયેલી જૉવા મળી છે સબંધિત તંત્ર દ્વારા ઠેર ઠેર પડેલ ખાડાઓને લઈ માત્ર થીંગડા મારી કામ ચલાવવામાં આવી રહ્યુ છે.
આ ઓવરબ્રિજ પર મોટી સંખ્યામાં ભારે વાહનોની અવર જવર રહેતી હોય છે ખાડાઓ પડયા છે તે સ્થળે ખીલાસળિયો બહાર દેખાવા લાગી છે. આ બ્રીજ આર એન્ડ બી વિભાગનાં અંડરમાં છે. છેલ્લાં ઘણાં વર્ષોથી આ બ્રીજની હાલત ખરાબ જૉવા મળી રહી છે. તંત્ર માત્ર થિંગડા મારી કામ ચલાવી રહ્યું છે જૉકે અહીં મોટી સંખ્યામાં વાહનો અને ભારે વાહનોની અવરજવર રહે છે. તત્કાલીન પાલિકા પ્રમુખ દીક્ષિતભાઈ પટેલ આ બ્રિજને દુરસ્ત કરવા તત્કાલીન સાંસદ શારદાબેન પટેલ સહિત આર એન્ડ બી વિભાગમાં રજૂઆત કરી હતી.