પાટણ શહેરના પદ્મનાભ ચાર રસ્તા પાસેની સોસાયટી વિસ્તારના માર્ગો પર ભૂગર્ભ ના દૂષિત પાણી રેલાતા રહિશો પરેશાન
પાલિકા સત્તાધીશો દ્વારા તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહિ આવે તો પાલિકા ખાતે હંગામા કરવાની ચિમકી
પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં અવારનવાર ભૂગર્ભ ગટરની લાઈનો ચોક અપ થવાના કારણે ભૂગર્ભ ના દૂષિત પાણી માર્ગો પર રહેતા હોવાના દ્રશ્યો જોવા મળતા હોય છે અને માર્ગો પર રેલાતા દૂષિત પાણીના કારણે લોકોને પારાવાર હાલાકી સાથે રોગચાળાનો ભોગ બનાય તેવી દહેશત ઉભી થતી હોય છે ત્યારે પાટણ શહેરના પદમનાભ ચાર રસ્તા નજીક આવેલ યસ કુટીર,સ્વદુર વીલા, નીલકંઠ સોસાયટી, શિવ શક્તિ સોસાયટી માગૅ પર છેલ્લા કેટલાક દિવસો થી ભૂગર્ભ ગટર ઉઘરાવવાની સમસ્યા સજૉતા માગૅ ની હાલત ઉબડ ખાબડ બનવાની સાથે દુષિત પાણી ની દુગૅધ થી વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે
આ સમસ્યા બાબતે વિસ્તારના રહીશો દ્વારા અનેક વખત પાલિકાના સત્તાધિશોનું ધ્યાન દોરવા છતાં કાયમી ધોરણે સમસ્યાનું નિરાકરણ નહીં આવતા વિસ્તારના લોકોમાં રોશની લાગણી ઉભી થવા પામી છે. પાલિકા સત્તાધીશો દ્વારા આ સોસાયટી વિસ્તારના માર્ગ પર રહેલા હતા દૂષિત પાણીના પ્રશ્નનું તાત્કાલિક ધોરણે નિરાકરણ નહીં લાવે તો આગામી દિવસોમાં રહીશો દ્વારા પાલિકા ખાતે દેખાવો કરવાની ચીમકી આપી હોવાનું જાણવા મળ્યું છે.