રાધનપુર ગુજરવાડા નાકે થી રાજગઢી સુધીની ઉભરાતી ગટરોમાંથી મુક્તિ અપાવા બાબતે આવેદનપત્ર અપાયું..
વિસ્તારના દુકાનદારોને રખડતા ઢોરોનો ભય સતાવે છે તેમજ ત્યાના રહીસોમાં પણ માંદગીનો ડર હોવાથી પાલિકા સામે ભારે રોષ ફેલાયો છે...
વેપારીઓએ ગુજરવાડા નાકે થી લઈને પાલિકા આવવાના માર્ગ સુધી રેલી યોજી નગર પાલિકા હાય હાય નાં નારા લગાવ્યા…
પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં ઉભરાતી ગટરોની સમસ્યા છાસવારે જોવા મળી રહી છે.ત્યારે પાલિકા તંત્ર દ્વારા પ્રિ મોન્સુન કરેલ કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. રાધનપુર શહેરના ગુજરવાડા નાકેથી રાજગઢી વિસ્તારમાં ઘણા સમયથી ઉભરાતી ગટરોને લઇ વેપારીઓ દ્વારા લેખિત તથા મૌખિક ઘણીવાર રજૂઆત કરેલ હોવા છતાં આજદિન સુધી વેપારીઓનાં કોઈ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવેલ નથી અને ગુજવાડા નાકે ગટરો ઉભરાતી હોવાથી ગામડાના કે બહારના ગ્રાહકો દુકાન સુધી આવતા નથી ગ્રાહકોને ગંદગીના હિસાબે રોગચાળાની ભીતિ હોઈ વેપારી વર્ગને ઘણું મોટું નુકશાન થઈ રહ્યું છે.
જેમાં ઘણીવાર તો ગટરના ગંદા પાણી દુકાનોમાં ધુસી જવાથી માલ સામાનમાં પણ લાખોનું નુકશાન થયેલ છે જેને લઇને વિસ્તારના વેપારીઓ સાથે પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયાબેન સોની એ વિસ્તારની મુલાકાત લઈ વેપારીઓ સાથે નગર પાલિકા પહોચી આવેદનપત્ર આપ્યું હતું.અને પાલિકાના ચીફ ઓફિસર ને વેપારીઓને પડતી તકલીફને સત્વરે નિવારવામાં આવે તેવી માંગ ઉઠી છે.અને બજારમાં સાંકડી ગટરો હોવાથી ગટરોમાં પાણીનો પ્રવાહ વધુ હોવાના હિસાબે ગટરો ઉપર ઢાંકલા ઢાંકણાના હિસાબે ગટરોની સરખી સાફ સફાઈ ના થતી હોવાથી ગટરનું ગંદુ પાણી ઉભરાઈ દુકાન, રોડ રસ્તા પર આવે છે અને એ રસ્તો ઘણા દેરાસર અને મંદિરોને આવા જવા માટે આસ્થાઓને જોડતો રસ્તો હોવાથી ત્યાં આવી ગંદગીના હિસાબે રખડતા ઢોરોનો પણ બહુ મોટો ત્રાસ છે જ્યાં ગંદા પાણીમાં જમાવડો કરી રખડતા ઢોરો એકઠા થાય છે. જેથી દર્શનાર્થી રાહેદારીઓ ગ્રાહકો અને દુકાનદારોને રખડતા ઢોરોનો ભય સતાવે છે તેમજ ત્યાના રહીસોમાં પણ માંદગીનો ડર હોવાથી ભારે રોષ જોવા મળ્યો છે. જેથી ગુજરવાડા અને રાજગઢી સુધીની ગટરોના પ્રશ્નનો હલ લાવવા લાવવા લોકોની માંગ ઉઠવા પામી છે.