गुजरातगुड मॉर्निंग न्यूज़पाटन जिला

પાટણ જિલ્લાના રાધનપુરમાં સરસ્વતી નદી પર નવો ફોર લેન પુલ બનાવવા માગ ઊઠી..

 

પાટણ જિલ્લાના રાધનપુર સમી વચ્ચે આવેલ વરાણા ગામ પાસે સરસ્વતી નદી પસાર થાય છે. જે પુલ ખરાબ અને જર્જરિત હાલતમાં હોય અહીંયા કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવું જણાઈ રહ્યું છે.તેમજ અહીંયા મેઈન મહેસાણા રાધનપુર કચ્છ ને જોડતો માર્ગ હોય અવર નવાર વાહનો રાત દિવસ દોડતા હોય છે અને ટ્રક પણ ચાલતા હોય છે.ત્યારે  વાહન વ્યવહાર વધુ હોય તેના કારણે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકીએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી તાત્કાલિક ધોરણે નવીન પુલ બનાવવામાં આવે તેવી માંગ કરી હતી.વધુમાં નવીન ફોર લેન પુલ બનાવવામાં આવે એવી પણ માગણી રજૂ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×