પાટણના જુદા જુદા ત્રણ વિસ્તારમાં વધુ ત્રણ ડેન્ગ્યુ ના શંકાસ્પદ કેસો સામે આવ્યા
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સૂર્યાનગર ના નટ બજાણીયાના વિસ્તાર માં ફોગિંગ મશીન દ્વારા દવાનો છંટકાવ કરાયો
આરોગ્ય વિભાગની ચાર ટીમે 216 ઘરની તપાસ હાથ ધરી,પાણી ભરેલા પાત્રને ખાલી કરાવી તેને સ્વચ્છ રાખવા સહિત ડેન્ગ્યુ લક્ષી જરૂરી માર્ગદર્શન પૂરું પડાયું: પાટણ શહેરમાં શનિવારે ડેન્ગ્યુના શંકાસ્પદ વિવિધ વિસ્તારો માંથી વધુ ત્રણ કેસો ધ્યાનમાં આવતા તેઓને પાટણ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર તપાસ હાથ ધરી પોરા નાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હાથ ધરાયેલી આ કામગીરી દરમિયાન શનિવારે પાટણ શહેરના સૂર્યાનગર ના નટ બજાણીયા ના વિસ્તારમાં આરોગ્યની ટીમ દ્વારા પાણીના પાત્રો ખાલી કરાવી પાત્રો ને સ્વચ્છ રાખવા સહિત ની સલાહ આપી ફોગિગ મશીન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
સાથે સાથે આરોગ્ય વિભાગ ની ટીમે દરેક ઘરની તપાસ હાથ ધરી ઘરના પાણીના પાત્રો જેવા કે માટલા, નાના ગઢા, ટાયર ,કુલર, ફ્રીજની ટ્રે અને પક્ષીકુંડ વગેરે ના પાણી ભરેલા તમામ પાત્રો ખાલી કરાવી વિસ્તારના રહીશો ને સૂચના આપવામાં આવેલ કે દર અઠવાડિયે એક વખત આ પાણીના પાત્રો ખાલી કરી દેવા અને આ પાત્રો ઘસીને સાફ કરવા જેથી ડેન્ગ્યુ મચ્છરના ઈંડા ચોટેલા હોય તેનો નાશ થઈ જાય જેથી મચ્છર ઉત્પન્ન થશે નહીં