પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે વિસ્તરણ રેન્જ ચાણસ્મા દ્વારા વય નિવૃત થતા મનુભાઈ સુથાર નો વિદાય સમારોહ યોજાયો હતો. આ વિદાય સમારોહ માં વન વિભાગ ચાણસ્માના ટી એચ ચૌધરી (પરિક્ષેત્ર વન અધિકારી) સહિત અન્ય કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ અગાઉ નિવૃત્ત થયેલા કર્મચારી અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.આ વિદાય સમારંભમાં વન વિભાગ ચાણસ્માના કર્મચારી મિત્રો દ્વારા સ્મૃતિ ચિહ્નન તેમજ શ્રીફળ તેમજ સાકર આપી ફૂલોનો હાર પહેરાવીને નમી આંખે વિદાય આપી હતી તેમજ સાથોસાથ અન્ય લોકો પણ સાલ ઓઢાડીને વિદાય આપી હતી.
ઉપસ્થિત તમામ મહેમાનોએ દીર્ઘાયુ આયુષ્ય માટે મહાદેવને પ્રાર્થના કરી હતી અંતે નિવૃત થનાર કર્મચારી મનુભાઈ સુથારે બધા જ ઉપસ્થિત મિત્રોનો દિલથી આભાર માન્યો હતો
મનુભાઈ દ્વારા એક વડ નું વૃક્ષારોપણ કર્યું હતું .અને અંતે બધા જ મિત્રોને નિવૃત્ત કર્મચારી મનુભાઈ સુથાર દ્વારા સ્વરુચી ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું.