આ બિસ્માર માર્ગની કામગીરી ગ્રામ પંચાયતમાં આવતી નથી,માર્ગ અને મકાન વિભાગ માં આવે છે. માર્ગ મકાન વિભાગના અધિકારીઓને અનેકવાર રજૂઆત કરી છે કામગીરી કરવામાં આવી નથી: લોટીયા તલાટી કમ મંત્રી મુકેશભાઈ
પાટણ જીલ્લામાં હાલ એકતરફ વરસાદી માહોલ છવાયો છે.ત્યારે રાધનપુર તાલુકાના લોટીયા દૂધડેરી થી પ્રાથમિક શાળા તેમજ ગાજીસર થી ઠીકરિયા જતા રોડની હાલત બિસ્માર જણાઈ રહી છે.જેને લઇને સમસ્ત ગ્રામજનો સહિત વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.
લોટીયા ગામથી ગાંજીસર ઠિકરીયાજવાના રસ્તા પર વરસાદી માહોલ વચ્ચે ઢીંચણસમાં વરસાદી પાણીનો જમાવડો થાય છે.જેને લઇને ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.તેમજ આ માર્ગ પર કાદવ કીચડ નું ભરપૂર માત્રામાં સામ્રાજય હોય રસ્તો બિસ્માર બનતા અને વરસાદી પાણી ભરાતા વાહનચાલકો રાહદારીઓ માટે રસ્તો જોખમી બન્યો છે જેને લઇને ગ્રામજનોને અવર જવરમાં ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે ગામલોકોએ આ માર્ગ પર ચાલીને રોડ રસ્તા પરની ગંદકી અને પાણીના ભરાવ ને લઇને જે હાલાકી ભોગવવી પડી રહી છે તેને લઇને તંત્રને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં આજદિન સુધીમાં કોઈ જ નિરાકરણ આવ્યું નથી જેને લઇને ગ્રામજનોમાં તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે.
રાધનપુર તાલુકાના લોટીયા ગામની દૂધ ડેરી થી પ્રાથમિક શાળા તેમજ ગાંજીસર ઠિકરિયા જતાં રોડ પર ભારે ગંદકી અને કાદવ કીચડ નું ભરપૂર સામ્રાજ્ય સ્થાપ્યું છે.જેને લઇને શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ આ કાદવ કીચડમાં જવા મજબુર બન્યા છે. જાગૃત ગામલોકો દ્વારા ગામની દુર્દશા અનેકવાર તંત્રને વર્ણવી રોડ રસ્તા પરની ગંદકી દૂર કરી નવીન રસ્તાની માંગ કરતા નજરે ચડ્યા હતા. પરંતુ આજદિન સુધીમાં કોઈ જ યોગ્ય વ્યવસ્થા કે ગંદકી નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી.ત્યારે માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ ગામની મુલાકાત કરી રોડ રસ્તા પરથી કાદવ કીચડ દૂર કરી રસ્તો બનાવવા ગ્રામજનો ની માંગ ઉઠવા પામી છે.
લોટીયા ગામનાં આ માર્ગ પર વરસાદના કારણે રસ્તો ધોવાઈ જતા રસ્તો પણ દેખાતો નથી રોડ ઉપર મસમોટા ખાડા પડી ગયા છે.જેને લઇને રસ્તા ઉપર ચાલતા વાહન ચાલકોને વાહન લઇને નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. એટલું જ નહિ અહીંયા ગામમાં શાળાએ જતા નાના ભૂલકાઓ અને બાળકોને પણ ગંદકીમાં પસાર થવા મજબૂર બન્યા છે.ત્યારે તંત્રની કામગીરીને લઇને અનેક સવાલો ઉભા થયા છે.તો બીજી તરફ ગામની દુર્દશા અંગે તંત્રને રજૂઆત કરી ગામલોકોએ રોડ રસ્તા બનાવવા માંગ કરી રહ્યા છે.હાલ ગામમાં ભારે વરસાદને લઈને એક તરફ પાણી તો બીજી તરફ ગંદકીનું સામ્રાજય ફેલાયું હોય રોગચાળાની ભિતી સેવાઈ રહી છે અને ભારે ગંદકીને કારણે અહીંયા આ માર્ગ પર લોકોને ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. ગામમાં રસ્તાનું ધોવાણ થતા અને ભારે ગંદકીનું સામ્રાજય ફેલાયું હોય રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ત્યારે તાત્કાલિક ધોરણે ગંદકી સાફ સફાઈ કરી દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવે અને નવીન રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી ગામ લોકો માંગ કરી રહ્યા છે.
લોટીયા ગામનાં તલાટી કમ મંત્રીએ સુ કહ્યું.:-
બિસ્માર માર્ગની કામગીરી સાફ સફાઈ નો અભાવ અને ગ્રામજનોની રજૂઆતને પગલે પત્રકાર અનિલ રામાનુજ દ્વારા ગ્રામ પંચાયતનાં તલાટી કમ મંત્રીને ટેલીફોનીક ચર્ચા કરતા તલાટીએ જણાવ્યું હતું , કે આ માર્ગ ગ્રામ પંચાયતમાં આવતો નથી, આ રસ્તો માર્ગ અને મકાન વિભાગ માં આવે છે. અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓને અનેકવાર રજૂઆત કરી છે કામગીરી કરવામાં આવી નથી તેવું લોટીયા ગામનાં તલાટી કમ મંત્રી મુકેશભાઈએ જણાવ્યું હતું.