આજે એવા જ એક નવા પર્યાવરણ બચાવવાના મુદ્દા હેતુ સમાજમાં જાગૃતિ લાવવા પ્લાસ્ટિકને બદલે કાપડની થેલીનો ઉપયોગ વધારવા મંદિરમા જ કોટન બેગ વેડિંગ મશીન મુકવામાં આવ્યું.
ગુજરાત ફીડ કેર કંપની દ્વારા સીએસઆર ફંડમાંથી ગુજરાત પ્રદુષણ બોર્ડ ઉમિયા માતાજી મંદિરમા લગાવવામાં આવ્યું.
આ નવતર પ્રયોગની ચોમેર પ્રશંસા થઇ રહી છે.
માત્ર 10 રૂપિયા જેવી નજીવી કિંમતમા આકર્ષક અને મજબૂત થેલી મશીન મારફતે મળી રહેશે.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે જ આજના ઉમિયા માતાજીનો ભવ્યતિભવ્ય ધજા મહોત્સવના શુભ દિને જ લોકાર્પણ કરવામાં આવ્યું.
વરસાદ પણ જાણે આજના શુભ દિને વહેલી સવારે સ્વાગતરૂપે અમી વર્ષા કરી વાતાવરણમા ઠંડક વધારી ગયો.
હિન્દુ ધર્મના બધા જ સમાજના દર વર્ષે લાખો શ્રદ્ધાલુઓ દર વર્ષે અહીં દર્શનાર્થે આવતા હોય છે,
તેઓ સૌ સમાજમાં આવા સમાજ ઉપયોગી કાર્યો કરવા પ્રેરાય તેવો સંસ્થાનનો શુભ હેતુ રહેલો છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર.