गुजरातगुड मॉर्निंग न्यूज़पाटन जिला

સમી તાલુકાના દાઉદપુર ગામની પ્રા.શાળામાં વરસાદી પાણી વચ્ચે ભૂલકાઓ અભ્યાસ કરવા મજબૂર બન્યા

પાણી વચ્ચે પસાર થઈ કાદવ કીચડમાં નીકળીને અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ,વાલીઓ બન્યા પરેશાન...

 

“સૌ ભણે સૌ આગળ વધે” નાં સૂત્ર તો દાઉદપર પ્રા શાળા માં જોવા મળે છે.પરંતુ આટલા પાણી વચ્ચે બાળકો કેમ ભણશે અને કેમ આગળ વધશે..!!!

પાટણ જિલ્લાના સમી તાલુકાના દાઉદપુર ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં વરસાદી પાણી વચ્ચે ભૂલકાઓ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. પાટણ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી જેમાં સમી તાલુકામાં ભારે વરસાદને પગલે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા જેમાં પંથકમાં ભારે વરસાદને પગલે ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતો પણ ચિંતિત બન્યા છે.

દાઉદપુર ગામની પ્રા.શાળાનાં કમ્પાઉન્ડ મા અને બહારના વિસ્તારમાં ઢીંચણસમાં વરસાદી પાણી નો જમાવડો થયો હતો.જેને લઇને પાણી વચ્ચે પસાર થઈ કાદવ કીચડમાં નીકળીને અભ્યાસ અર્થે આવતા બાળકો પરેશાન બન્યા છે. ત્યારે નાના ભૂલકાઓ પણ અભ્યાસ અર્થે આવતા હોય વધુ પાણીને લઇને બાળકોના વાલીઓ પોતાના વાહનો લઇને શાળાએ મૂકવા આવતા જોવા મળ્યા હતા.અને વરસાદી પાણીના ભરાવ ને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ

ભારે હાલાકી નો સામનો કરતા નજરે ચડ્યા હતા.આપ દૃશ્યો માં જોઈ સકો છો કેસમી તાલુકાના દાઉદપુર પ્રા.શાળાનાં પટાંગણમાં પાણી જ પાણી છે.ત્યારે આ વરસાદી પાણી વચ્ચે પણ બાળકો અભ્યાસ કરતા હોય સુ શાળાના મેનેજમેન્ટની કોઈ જવાબદારી બનતી નથી વગેરે સવાલો ઊભા થઈ રહ્યા છે.આટલા સમયથી વરસાદી પાણીનો શાળામાં જમાવડો છે શાળા માં અવર જવર કરતા નાના નાના ભૂલકાઓ પાણીમાં અને ગંદકીમાં થી નીકળી શાળાએ આવે છે ત્યારે કેમ શાળાના મેનેજમેન્ટ અને ગ્રામ પંચાયત કે લાગતાં વળગતા તંત્ર દ્વારા કોઈ વરસાદી પાણી નું નિરાકરણ કરવામાં આવ્યું નથી ગામલોકોમાં પણ ભારે રોષ ફેલાયો છે.

દાઉદપુર પ્રા.શાળાએ જવાના માર્ગથી લઇને શાળાના કમ્પાઉન્ડ માં વરસાદી પાણી ભરાયાં છે.તેમજ શાળાની બહાર આવેલ મકાનો માં પણ વરસાદી પાણી હોય નજીકના ઘરોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે મચ્છરો નો ઉપદ્રવ વધ્યો છે તેમજ બાળકો બીમાર બન્યા છે તેવું નજીકમાં રહેતા સ્થાનિક ગોવિંદભાઈ રાવળ એ જણાવ્યું હતું.વધુમાં જણાવતાં કહ્યું કે અહીંયા કોઈ સરકારી કર્મચારી કે ગ્રામપંચાયત તલાટી કે સરપંચ વહીવટદાર કોઈ આ જગ્યાની મુલાકાતે આવ્યું નથી કે કોઈ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી નથી જેને લઇને લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે.ત્યારે તંત્ર દ્વારા વરસાદી પાણીનો ઝડપી નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે તેમજ વરસાદી પાણી નો નિકાલ નહી કરવામાં આવતા હાલ લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

“સૌ ભણે સૌ આગળ વધે” નાં સૂત્ર તો દાઉદપર પ્રા શાળા માં જોવા મળે છે.પરંતુ આટલા પાણી વચ્ચે બાળકો કેમ ભણશે અને કેમ આગળ વધશે..!!! કારણ પ્રા.શાળા માં અને આજુબાજુના વરસાદી પાણી ભરાયાં છે ત્યારે પાણી વચ્ચે પસાર થતા ભારે હાલાકી નો સામનો કરતા બાળકો વરસાદી પાણીમાં ચાલીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.ત્યારે શાળાના મેનેજમેન્ટ અને શાળાતંત્ર ની કામગીરી થી લઈને ગ્રામ પંચાયત સુધી અનેક સવાલો ઉઠ્યા છે.

ગામના રહીશએ જણાવ્યું સરકારી કર્મચારીઓ ધ્યાન આપતા નથી,તલાટી વહીવટદાર ને જાણ કરી હોવા છતાં કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી:-

દાઉદપુર ગામનાં રાવળ ગોવિંદભાઈ કમાભાઈનાં જણાવ્યા મુજબ શાળામાં અને શાળાની બહાર ભરાયેલ વરસાદી પાણીના ફોટા વરસાદી પાણીના નિકાલ માટે તલાટી,વહીવટદાર ને મોકલ્યા હતા. અને જાણ કરી હોવા છતાં કોઈ તલાટી,વહીવટદાર કે કોઈ સરકારી કર્મચારી વિસ્તારની મુલાકાતે આવ્યા નથી. રોગચાળો વિસ્તારમાં ફાટી નીકળ્યો છે મચ્છરો નું સામ્રાજ્ય વધ્યું છે અને હું 10 હજારનો હોસ્પિટલમાં ખર્ચો થયો છે અને ભારે મચ્છરજન્ય રોગચાળાએ ભરડો લીધો છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×