ગાંધીનગરના ડભોડા ગામે કોઈ પણ જાતના સ્વાર્થ વગર માત્ર સંસ્કૃતિને જીવંત રાખવાના શુભ હેતુસર પ્રાચીન દેશી સંત વાણી,ગીતો સાથે ભજનમંડળી ચાલુ કરવામાં આવી છે.
આનાથી વધુ ઉંમર વાળા ઘરડા લોકોને પણ ભક્તિ સાથે આનંદ મળી રહેશે.
સદગુરુ શ્રી પ્રકાશ બાપુની દિવ્ય પ્રેરણાથી શરૂ થયેલ આ સેવા કાર્ય ગોવિંદભાઈ, જ્યંતિભાઈ, કનુભાઈ, રાજુભાઈ, જસાજી, બળદેવજી, નાગરભાઈ વગેરે પોતાની સદવૃતિઓનો લાભ સમાજને આપી મોટી સેવા કરી રહ્યા છે.
હાલના અતિ આધુનિક કહેવાતા મોડર્ન -ફાસ્ટ સમયમાં લુપ્ત થતી જૂની સંતવાણી, ગીત-ભજન ને લયબદ્ધ સંગીત સાથે રજુ કરી રહ્યા છે.
તેમના આ સતકાર્યની ચોમેર પ્રસંશા થઇ રહી છે.
અહેવાલ :- આશિષ પટેલ, ઐઠોર