પાટણ જિલ્લાના ચાણસ્મા શહેરના ઇંન્દીરાનગરમાં રસ્તામાં ખાટલો ઢાળવા જેવી સામાન્ય બાબતમાં તકરારમાં મામલો ઉગ્ર બનતા એક હત્યા થવાં પામી હતી. મૃતકની પત્ની દ્વારા હત્યા મામલે ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો દોર શરૂ કરી ચાર આરોપીઓને પકડી વધુ તપાસ હાથ ધરી છે.
ચાણસ્માના ઇંન્દીરાનગરમાં બે દિવસ પહેલાં ખાટલો વચ્ચે ઢાળવા જેવી નજીવી બાબતે ચાર શખ્સોએ વસીમભાઈ હબીબભાઈ મન્સુરીનું ઢીમ ઢાળી દીધું હતું જે અંગે ચાણસ્મા પોલીસ મથકે મૃતકની પત્ની રૂકસાનાબેને મહેબૂબ મોજનખાન મન્સુરી,સલીમભાઈ મોજનખાન મન્સુરી, અહેસાન મહેબુબખાન મન્સુરી, સાજીદ સલીમખાન મન્સૂરી સામે ગુનો દાખલ નોંધાવતાં ચાણસ્મા પોલિસે ચારેય આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું પી.આઈ. એસ. એફ. ચાવડા એ જણાવ્યું હતું .