પાટણ જિલ્લાના રાધનપુર શહેરમા જમીનમાં ભાગ મામલે વૃદ્ધા પર હુમલો થયા હોવાની વિગતો જાણવા મળી છે.મળતી માહિતી મુજબ રાધનપુરનાં વૃદ્ધ મહિલા વાડી વિસ્તારમાં કામ કરતા હતા.જે દરમિયાન સમાજના 5 શખ્સોએ આવીને વાડીમાં ભાગ કેમ આપતા નથી તેમ કહીને માર મારતા વૃદ્ધાને પાટણ ની ધારપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. અને ઘટના ને પગલે 5 શખ્સો સામે રાધનપુર પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
રાધનપુર આંબેડકર પૂતળાંની બાજુમાં રહેતા દેવીપુજક જીવીબેન 18/5/24ના રોજ સવારે આધારે 11 વાગ્યા નાં અરસામાં ગંગેશ્વર વાડી વિસ્તારમાં કામ કરી રહ્યા હતા.તે દરમિયાન તેમના જ સમાજના દેવીપૂજક સમાજ ના 5 વ્યક્તિઓ દ્વારા વાડીમાં કેમ ભાગ આપતા નથી તેમ કહીં વૃદ્ધ મહિલાને લાકડી અને ગડદાપાટુંનો માર મારતા હોબાળો થતા સ્થાનિક લોકોએ છોડાવીને શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ત્યારબાદ વધુ સારવાર અર્થે પાટણ ની ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનામાં જીવીબેનના ભાઈએ બિજલભાઈ ખેતાભાઈ દેવીપુજક, લાલાભાઇ બીજલભાઈ, અમરતભાઈ તળશીભાઈ, રાજુભાઈ તળશીભાઈ, નટુભાઈ ગોવિંદભાઈ દેવીપુજક રહે.તમામ શાંતિ ધામ વિરુદ્ધ રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.