ધાનેરા પોલીસે 59,332 રૂપિયાના ચાંદીના દાગીના વેચવા આવતા બે ઈસમો ઝડપી લીધા
ધાનેરા પોલીસે શનિવારે સોની બજારમાં ચાંદીના દાગીના વેચવા આવેલા બે શખસોને ઝડપી લીધા હતા. જેમની પાસેથી રૂપિયા 59,332 રૂપિયાના ચાંદીના ઝુમ્મર, છત્તર જપ્ત કરાયા હતા.
ધાનેરાની સોની બજારમાં શનિવારે બે શખસો શંકાસ્પદ હાલતમાં હાથમાં પ્લાસ્ટિકની થેલી લઈને ફરતા હતા. તે દરમિયાન ધાનેરા પોલીસ પણ પેટ્રોલિંગમાં હોઇ તેમને બાતમી મળી હતી. જેથી સોની બજારમાંથી બન્ને શખસોને પકડી થેલી લઈ અંદર તપાસ કરતાં સફેદ જેવી વસ્તુ કાઢી સોની પાસે ચેક કરાવતાં ચાંદીનો ઝુમ્મર 390 ગ્રામ, ચાંદીનું છત્તર તથા અન્ય પરચૂરણ ટુકડા મળી કુલ વજન 864 ગ્રામ રૂ.59,332 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આરોપી અશોકભાઈ ઈશ્વરભાઈ પંચાલ (ઉં.વ.28, ધંધો-ટાયર પંચરની દુકાન,મુ.શેરા, તા.ધાનેરા) અને રમેશભાઈ ઉર્ફે બચ્ચન હરજીભાઈ ભરથરી (ઉં.વ.40, રહે.સેદલા, તા.થરાદ) ની ધરપકડ કરી હતી. પોલીસે આ આરોપીઓ આ દાગીના ક્યાંથી લાવ્યા એ દિશામાં તપાસ હાથ ધરી હતી. આ આરોપીઓને પકડવા માટે પીઆઇ એ.ટી.પટેલ તથા સ્ટાફના દજાભાઈ હેડ કોન્સ્ટેબલ,કાળાભાઈ, દિનેશભાઈ, ડાયાભાઈ ટીમ બનાવી હતી