गुजरातगुड मॉर्निंग न्यूज़

સુરતમાં 6 માળની ઈમારત ધરાશાયી , મોટી સંખ્યામાં લોકો દટાયા હોવાની આશંકા

સુરતમાં વરસાદના કારણે જર્જરિત મકાન ધરાશાયીની ઘટના સામે આવી છે. શહેરનાં સચિનના પાલી ગામ વિસ્તારમાં આવેલા ક્રિષ્નાનગરમાં એક 6 માળની બિલ્ડીંગ ધરાશાયી થઈ હોવા સમાચાર સામે આવ્યા છે. ભારે વરસાદનાં કારણે ઈમારત ધરાશાયી થતાં 15 જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોચી છે. ઈજા પહોચતા ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

મહત્વનું છે કે હજુ પણ ઈમારતના કાટમાળ નીચે મોટી સંખ્યામાં લોકો દટાયા હોવાની આશંકાએ રેસ્ક્યુ હાથ ધરાયું છે. જો કે, આ ઘટના જાણ પોલીસવિભાગને થતાં ઘટના સ્થળે પોલીસ આવી પહોંચી છે અને ભીડ દુર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×