થરાદના ખેડૂતોને કાતરા જીવાતના નિયંત્રણ માટે કૃષિ યુનિવર્સિટીની ટીમ તથા ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા માર્ગદર્શ અપાયું
થરાદના ખેડૂતોને કાતરા જીવાતના નિયંત્રણ માટે કૃષિ યુનિવર્સિટીની ટીમ તથા ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા માર્ગદર્શ અપાયું
થરાદ પંથકમાં બાજરીના પાકમાં કાતરા જીવાત આવતાં સતત ખેડૂતો માથે આવેલા આફતનો એહવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેના બાદ કૃષિ યુનિવર્સિટીની ટીમ તથા ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા થરાદના ગામડાઓમાં ફિલ્ડ મુલાકાત લઈ અને ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ પંથકમાં બાજરીના પાકમાં કાતરા જીવાત આવતાં ખેડૂતો ચિંતિત બન્યાં હતાં. જેને લઈને ગતરોજ ખેતીવાડી વિભાગ અને કૃષિ યુનિવર્સિટીની ટીમ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી. થરાદ તાલુકાના ભાપી અને ભાપડી ગામે કૃષિ યુનિવર્સિટી ના વૈજ્ઞાનિકોઓની ટીમ ડો. પી.એસ.પટેલ, ડૉ. આર. એ. ગામી, ડૉ. એમ. એ.તુવર અને ખેતીવાડી ટીમ-થરાદ વિ. યુ. દેસાઇ, મદદનીશ ખેતી નિયામક (વિ), બી.આર.પટેલ, વિસ્તરણ અધિકારી- ખેતી, આત્મા પ્રોજેકટ-બી.ટી.એમ.ગ્રામસેવક અને સ્થાનિક આગેવાનો ઇશ્વરભાઇ ચૌધરી તેમજ ગામના ખેડૂતો સાથે રૂબરૂ ફિલ્ડ વિઝિટ કરી, નિરીક્ષણ કરવામાં આવ્યું તેમજ ખેડૂતને જરૂરી માર્ગદર્શન આપી નિયંત્રણના પગલાં માટે નીચે મુજબની ભલામણ કરવામાં આવી.