गुजरातगुड मॉर्निंग न्यूज़बनासकांठा

પાલનપુરમાં આવેલી જોખમી ઈમારતોને ચોમાસા પૂર્વે ઉતારી લેવા માટે નગરપાલિકા દ્વારા મિલ્કતધારકોને નોટિસ

 

પાલનપુર શહેરમાં 17 જોખમી મકાન અને દુકાનોને ઉતારી લેવા માટે પાલિકાએ નોટિસ આપી:પાલનપુરમાં આવેલી જોખમી ઈમારતોને ચોમાસા પૂર્વે ઉતારી લેવા માટે નગરપાલિકા દ્વારા મિલ્કતધારકોને નોટિસ પાટવવામાં આવી છે. પાલિકા દ્વારા શહેરની 17 જેટલી જર્જરિત ઈમારતોને ઉતારી લેવા માટે નોટિસ ફટકારવામાં આવી છે.

પાલનપુરમાં ચોમાસા પહેલા જર્જરિત બિલ્ડીંગ ધારકોને નોટિસ ફટકારવામાં આવી છે. જર્જરિત દુકાનધારકો તેમજ મકાનધારકો ને નોટિસ ફટકારવામાં આવી છે.17 જર્જરિત ઈમારતોને ઉતારવા માટે નોટિસ ફટકારાઈ છે. જો મકાન માલિક પોતે જર્જરિત ભાગ નહિ ઉતારે તો નગરપાલિકા જોખમી ભાગને ઉતારવા માટેની કામગીરી હાથ ધરશે. આગામી દિવસોમાં નોટિસો આપવા માટે નગરપાલિકાએ તૈયારી હાથ ધરી છે. આ અંગે પાલનપુર પાલિકા ચીફ ઓફિસર નવનીત પટેલે જણાવ્યું હતું કે જર્જરિત બિલ્ડીંગ માં આમ તો અમે દર વર્ષે નોટિસ પાઠવતા હોઈએ છીએ પણ માલિકો હાજરી ના હોય અહીં રહેતા ના હોય અમે એમનો નંબર મેળવી ને ત્યાં નોટિસ ચોટાડતા હોઈએ છીએ. જર્જરિત ઈમારતમાં જેટલો ભાગ જોખમી હોય તેને દૂર કરવામાં આવતો હોય છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×