150 થી વધુ મહિલા અને પુરૂષ ના ટોળાએ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહિ લવાઈ તો પાલિકા સામે ગાંધી ચિધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી પાટણ શહેરના પદ્મનાભ માગૅ પરના વિસ્તારની રેસીડેન્સી સોસાયટી સહિત ની સાત સોસાયટીઓના રહીશો છેલ્લા બે માસથી ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા ને લીધે ત્રાહિમામ પોકારી ઉઠયા છે તો આ સમસ્યાના નિરાકરણ અંગે અનેક વખતની નગર પાલિકા તંત્રમાં રજૂઆત કરવા છતાં આજદિન સુધી સમસ્યા નું નિરાકરણ નહિ આવતાં મંગળવાર ના રોજ ઉપરોક્ત તમામ સોસાયટી ના રહીશોએ પાલિકા ખાતે પહોચી હંગામો મચાવી સમસ્યાનું નિરાકરણ લાવવાની માગ સાથે ગાદી ચિધ્યા માગૅ પર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.
છેલ્લા બે માસથી સતત રજૂઆતો, કમ્પ્લેન કરવા છતાં સમસ્યાનો ઉકેલ નહિ આવતાં રોષે ભરાયેલા વિસ્તારના આશરે 150 થી વધુ મહિલાઓ તેમજ પુરુષોના ટોળાએ રૂબરૂ નગર પાલિકા ખાતે આવી હંગામો મચાવી ઉભરાતી ભૂગર્ભ ગટર ની સમસ્યા સાથે ફેલાતી ગંદકીના કારણે આ વિસ્તારના રહીશો મા સતત વધી રહેલા ટાઇફોઇડ તાવ સહિતના રોગ બાબતે પોતાનો રોષ વ્યકત કરી પાલિકા કેમ્પસને ગજવતા પાલિકામા હાજર પાલિકાના ઉપપ્રમુખ હીનાબેન શાહે રહીશો ની આ સમસ્યાનું તાત્કાલિક સમાધાન લવાશે તેવી હૈયાધારણા આપી હતી.
રહીશો એ જણાવ્યું હતું કે જો આ સમસ્યાનું સમાધાન તાત્કાલિક નહી આવે તો સમગ્ર વિસ્તારના લોકો ગાંધી ચિંધ્યા માર્ગે પાલિકા સામે આંદોલન કરશે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી.