गुजरातटॉप न्यूज़पाटन जिला

રાધનપુર મશાલી રોડ પર પાણી ભરાઈ રહેતા રહીશો ને હાલાકી

 

વરસાદી પાણીનો કોઈ નિકાલ ન થતાં જાહેર માર્ગ પર ફરી વળ્યુ પાણી: રાધનપુર મશાલી રોડ પર આર એન્ડ બી વિભાગ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી છે. પાલિકા દ્વારા ગટરની સાફ સફાઈ કરવામાં ન આવતા ગટરનું ગંદુ પાણી ભરાઈ રહેતા ગટરના ગંદા પાણીનો કોઈ નિકાલ ન થતા તેમજ વરસાદી પાણી નો કોઈ નિકાલ ન થતા જાહેર માર્ગ પર ભરાઈ રહેતા રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

રાધનપુર વોર્ડ નંબર 7માં આવેલ ધારાસભ્ય લાવીંગજી સોલંકીના નિવાસ સ્થાનથી માત્ર 100 મીટરની હદમાં આવેલ ગ્રામ્ય વિસ્તારને જોડતો માર્ગ તેમજ આજુ બાજુની 10 થી વધુ સોસાયટી ના મુખ્ય માર્ગ પર વર્ષોથી પાણી ભરાઈ રહેવાની સમસ્યા છે. પરંતુ તંત્ર દ્વારા સમસ્યાનું હલ ન કરવામાં આવતા સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. મુખ્ય માર્ગ પર વલ્લભનગર પ્રાથમિક શાળા, આહિર સમાજની છાત્રાલય માં હજારો નાના મોટા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે જતા હોય છે. મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ રહેવાના કારણે કેટલાક બાળકો પાણીમાં પડતાં નજરે પડે છે. તેમજ પાણીના નિકાલ માટે બનાવેલ ગટરના ખુલ્લા ઢાંકણા હોવાના કારણે કેટલાક બાળકો ખુલ્લી ગટરના પડી ચૂક્યા છે અને નાની મોટી ઈજાઓ પહોંચી છે જેથી સત્વરે તંત્ર દ્વારા ગટરની સાફ સફાઈ કરી મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ રહેવાની સમસ્યાનું નિવારણ લાવવા સ્થાનિક રહેવાસીઓ માંગ કરી રહ્યા છે.

આ બાબતે આર.એન્ડ બી.વિભાગના મદદનીશ ઇજનેર એ જણાવ્યું હતું. કે ગટર ની સાફ સફાઈ કરવી અને વરસાદી પાણીનો નિકાલ કરવો પાલિકા ની જવાબદારી છે. અને કચેરી દ્વારા પાલિકા ને પત્ર દ્વારા જાણ કરવામાં આવેલ ગટર ની સાફ સફાઈ કરવા. ગટરના ઢાંકણા માં ટેન્ડરની પ્રકિયા ચાલુ છે. પંદરેક દિવસમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×