જિલ્લા ભરમાં ગામે-ગામે પ્રાકૃતિક કૃષિ બાબતે ખેડૂતોને તાલીમ આપવામાં આવી રહી છે. ત્યારે પાટણ તાલુકાના મહેમદપુર ખાતે આવેલ રામુ પ્રાકૃતિક ફાર્મ મુકામે ગુરૂવારે કિસાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ તાલીમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી તેમજ પ્રાકૃતિક ખેતીના તમામ આયામો વિશેની ચર્ચા કરવામાં આવેલ હતી. જેમાં જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, જૈવિક અસ્ત્રો આચ્છાદન, વાફસા જેવા પ્રાકૃતિક ખેતીના આધાર સ્તંભોની ચર્ચા કરવામાં આવેલ હતી. આ કિશાન ગોષ્ઠિ કાર્યક્રમમાં હાજર રહેલ તમામ ખેડૂતોને ઓછામાં ઓછા એક વીઘામાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરીને જમીનનું સંરક્ષણ કરી જમીનની ફળદ્રુપતા વધારવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતુ.