રાધનપુરના લોકો પીવાના પાણી માટે વલ્ખા મારે છે ત્યારે આ સાહેબતો પાણી ચોરી કરીને હોસ્પિટલને પાણી પૂરું પાડે છે
રાધનપુર ભાભર હાઈવે પર આવેલી ડો દેવજીભાઈ ની આસ્થા હોસ્પિટલ ફરી વિવાદમા આવી છે દર્દી સાથે ગેર વર્તન અને બીજી ઘણી ગેરકાયદેસર પ્રવુતિ થતી હોય તેની બુમરાડ અગાઉ ઉઠી હતી ત્યારે હવે વધુ એક વિવાદ સામે આવ્યો છે રાધનપુર પાણી પુરવઠા વિભાગની પાઇપલાઈન માંથી ગેરકાયદેસર પાણી ચોરી કરી આસ્થા હોસ્પિટલને પાણી પૂરું પાડવામાં આવે છે આમતો રાધનપુરની આસ્થા હોસ્પિટલ મસ્ત મોટી
બનાવેલ છે અને દર્દી પણ ઘણા જતા હોય છે પણ આવડી મોટી હોસ્પિટલમા પાણી ક્યાંથી આવે છે અને પાણી ની અછત કેમ સર્જાતી નથી તેનો ઘટ સ્પોટ થયો છે દેવજીભાઈ ની આસ્થા હોસ્પિટલમા પાણી ચોરી કરીને હોસ્પિટલને પૂરું પાડવામાં આવે છે જેની બુમરાડ ઉઠી છે આ બાબતની તંત્રને પણ જાણ નથી કે છું?? રાધનપુર ની આસ્થા હોસ્પિટલની પાંસળના ભાગે પાણી પુરવઠા વિભાગની પીવાની પાણીની પાઇપલાઈન નીકળેલ છે જેમાં રાધનપુર વિસ્તારના લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે પણ રાધનપુર વિસ્તારના લોકોને પીવાનું પાણી પૂરું ન પડતા અછત ઉભી થતી હોય ત્યારે જો આવી રીતે હોસ્પિટલના માલિકો પાણી ચોરી કરી હોસ્પિટલને પૂરું પાડતા હોય તો સ્વભાવિક પાણીની અછત ઉભી થવાનીજ છે અને લોકો પાણી માટે વલ્ખા મારવાનાજ છે