રાધનપુર-સાંતલપુરમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના 3 ટોલબુથમાંથી 2 ટોલબુથ દૂર કરવા સાંસદે કેન્દ્રિયમંત્રીને રજૂઆત કરી
પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભીએ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ ભારત સરકારના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને કાંકરેજ, રાધનપુર અને સાંતલપુર
તાલુકા માંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ NO.14 પર ના 3 ટોલ બુથ પર થી 2 ટોલ બુથ દૂર કરવાની રજૂઆત કરવામાં આવી છે પાટણના સાંસદ ભરત ડાભીએ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગના કેન્દ્રિય મંત્રી
નીતિન ગડકરીને મારા સંસદીય મતવિસ્તાર પાટણ લોકસભા મતવિસ્તારમાં,કાંકરેજ, રાધનપુર અને સાંતલપુર તાલુકાઓમાંથી પસાર થતા સાંતલપુર – પાલનપુર નેશનલ હાઈવે (NH-14) વચ્ચે ત્રણ ટોલ બૂથ બનાવવામાં આવ્યા છે, જેમાં વારાહી ટોલ નાકા છે સાંતલપુર અને રાધનપુર તાલુકાની વચ્ચે આવેલું છે, કાંકેરાજ તાલુકામાં ભલગામ ટોલ નાકા પણ નેશનલ હાઈવે પર માત્ર 40 કિમીના અંતરે આવેલું છે અને મુડેઢા ટોલ રોડ પર માત્ર 35 કિલોમીટરના અંતરે આવેલું છે જેનાકારણે મુસાફરી કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે