પાટણ જિલ્લાના હારીજ પંથકમાં અવિરત વરસાદને પગલે હારીજના અમૃતપુરા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં
છેલ્લા પાંચ દિવસથી વરસાદી પાણીનો નિકાલ ના કરાતા સ્કૂલના બાળકો વરસાદી પાણીના કારણે સ્કૂલમાં શિક્ષણ કાર્ય બંધ રહેતા બાળકોનું ભવિષ્ય પાણીમાં જોવા મળ્યું હતું બાળકો અભ્યાસ કરવા પાંચ દિવસથી જઈ શકતા નથી અમૃતપુરા વિસ્તારના સ્થાનિક લોકોએ ફાઇટર મશીનથી પાણી નિકાલ કર્યો હતો. અમૃતપુરા વિસ્તારના લોકોએ હારીજ નગર વિકાસ કમિટીનો સંપર્ક કરતા કમિટીના સભ્યો સ્થળ પર પહોંચી શિક્ષકનો સંપર્ક કરી માહિતી લીધા બાદ સ્થાનિક લોકોની મદદથી ફાઇટર મશીન દ્વારા પ્રાથમિક શાળામાં ભરાયેલ વરસાદી પાણી નિકાલની કામગિરી હાથ ધરવામાં આવી હતી. જેમાં હારીજ નગર વિકાસ કમીટી પુષ્પક ખત્રી,અમિત ગોસાઈ અમરસિંહ ઠાકોર, સ્થાનિક પૂર્વ કોર્પોરેટર , અનુભાઈ ઝાલા, અશોક ઠાકોર,મંગલ ઠાકોર,કિશનજી ઠાકોર,શૈલેષ જી, અને અન્ય યુવાનો દ્વારા તંત્રને સ્થળપર બોલાવી પાણી નિકાલનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.