રાધનપુરનાં રેલ્વે સ્ટેશન ખાતે આવેલ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસના સોમવારે યક્ષ, ભજન,ભોજન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી…
પાટણ જિલ્લાના રાધનપુર રેલ્વે સ્ટેશન ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસના અમાવાસા ને સોમવારે નિમિતે ભજન ભોજન અને યજ્ઞ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે યક્ષ ની અંદર રમેશભાઈ કેસાજી ઠાકોર પરિવાર દ્વારા લાભ લેવા માં આવ્યા હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આજના ભોજન દાતા સાબાવાડીયા કેશાજી મફાજી રાધનપુર ઠાકોર વાસ પરિવાર દ્વારા આ પ્રસંગે તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરસનજી ઠાકોર અને શંકરજી મોતીજી ઠાકોર અને ઠાકોર સેનાના ભાવાજી ઠાકોર અને અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીએ મહોત્સવ અંતર્ગત
હાજરી આપી હતી તેમજ આવેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું .આ પ્રસંગે આવેલા તમામ મહેમાનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા સાથે સાથે ભજન,ચા, પાણી, નાસ્તો ની ઉતમ વ્યવસ્થા કરવામાં આવી હતી.આજના પ્રસંગે મોટી સંખ્યામાં પંથકના લોકો ઉપસ્થિત રહ્યા હતા.