સામેની બાજુ માલવાહક ગાડીના પૈડા (ભ્રસ્ટાચારના) મોટા ખાડામાં ફસાઈ ગયા છે.
બેય બાજુ રસ્તો બંધ જેવી હાલતમાં,
પાણીની અવરજવર નથી છતાંય જરૂર વગર નીચે મોટુ નાળુ નાખી જુના મજબૂત રોડને જાણીજોઈને (મલાઈ ખાવા) ખરાબ કરી દીધો હોય તેવી શંકા જાય છે,
સત્તાધીશો રાજકારણમા વ્યસ્ત,
લોકો રામ ભરોશે,,!!
અઠવાડિયાથી દયાજનક હાલતમાં આ રસ્તા પર સુ એકેય હોદ્દેદાર પસાર નહી થયો હોય કે તેમની લોકસેવાની દાનત નહી હોય,,??
ઐઠોરના બસ સ્ટેન્ડ પાસેનો આટલો મોટો ખાડો અહીંના હોદ્દેદારો અને સત્તાધીશોની નજરમાં ક્યારે આવશે તેની દુઃખી હૃદયે લોકોમાં રાહ જોવાઈ રહી છે,
ના છૂટકે એક બાજુનો રસ્તો આખો બંધ કરી દેવો પડ્યો અને બીજી બાજુ પણ મોટા ખાડા પડ્યા છે,
પણ તંત્ર જાણે મોટા અકસ્માત પછી જ કામગીરી કરવાના મૂડમાં હોય તેમ લાગે છે.
તંત્રની ઘોર બેદરકારીનો ભોગ સામાન્ય લોકોએ બનવાનું??
રાહદારીઓ અને ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
અકસ્માત માટે જવાબદાર કોણ??
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર