મહેસાણા જીલ્લાના ઐઠોર ગામના રોડ રસ્તાની સાથે ઊંઝા શહેરના બિસ્માર રોડ રસ્તાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે રોડ રસ્તા બિસ્માર ના કારણે લોકોને પડતી અગવડ અંગે આમ આદમી પાર્ટી ઊંઝા લોકોની વારે આવી છે અને ધારાસભ્ય કિરીટભાઇની ઓફિસે લેખિતમાં આવેદનપત્ર આપી
ઊંઝા શહેર અને ઐઠોર ગામના બિસ્માર રસ્તાઓને લઈને તાત્કાલિક ધોરણે રીપેરીંગ અથવા નવીન રોડ રસ્તા બનાવવામાં આવે તેવી આમ આદમી પાર્ટી ઊંઝા દ્વારા ધારાસભ્યને લેખિતમાં રજુયાત કરવામાં આવી જોકે ધારાસભ્ય પોતાની ઓફિસમાં ગેરહાજર હોવાના કારણે આમ આદમી પાર્ટી ઊંઝા દ્વારા રોસ વ્યક્ત કર્યો હતો
અહેવાલ:આશિષ પટેલ ઐઠોર