गुजरातगुड मॉर्निंग न्यूज़

આખા દેશના મોટાભાગના વિસ્તારોમાં શ્રી ગણેશ મહોત્સવની વર્ષોની ચાલી આવતી પરંપરા ના ભાગરૂપે ઠેર ઠેર સ્થાપનાઓ કરવામાં આવતી હોય છે.

નાના ગામડાઓ આખા ગામ વચ્ચે એક, મોટા શહેરોમાં દરેક સોસાયટીમાં અને વ્યક્તિગત પણ પોતાના ઘરમાં સ્થાપના કરવામાં આવતી હોય છે.

 

આધુનિક સાઉન્ડ, લાઈટ ડેકોરેશનથી માંડીને રામાયણ, મહાભારત, ઇતિહાસ, ધાર્મિક અને બીજાં ના જાણે કેટલાય દેવી દેવતાઓના પાત્રો સાથે દાદાની મૂર્તિ સ્વરૂપની સ્થાપના થતી હોય છે.

આટલા મોટા મહોત્સવ ની મૂળ શરૂઆત દેશની આઝાદી પહેલા દેશમાં મૂળ હિન્દુત્વ અને સામાજીક- ધાર્મિક ભાવનાઓ જળવાઈ રહે તેવા હેતુથી લોકમાન્ય તિલક દ્વારા 10 દિવસ માટે કરવામાં આવેલ હતી.

મહારાષ્ટ્ર મા આ મહોત્સવનું સૌથી વધુ મહત્વ છે.

સામાજીક જાગૃતિની સેવા કરતા સંગઠનો માટીની મૂર્તિ ઉપયોગમા લેવાનો ખાસ આગ્રહ રાખતા હોય છે.

10 દિવસ બધેય ભક્તિમય વાતાવરણ બની રહેતું હોય છે.

મૂર્તિઓની સ્થાપનાની સંખ્યા દર વર્ષે વધતી જ જાય છે

શ્રી જીની સ્થાપના કરી ભક્તો ધન્યતા અનુભવતા હોય છે

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×