રાધા અષ્ટમી નિમિતે કર્દમ આશ્રમ, સિદ્ધપુર ખાતે ભજન – કીર્તન, સંત સન્માન અને પ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું.
ભારતભરનું હિન્દુ ધર્મનું માતૃગયા તીર્થ તરીકે જગતભરમાં પ્રખ્યાત,, કર્દમ ઋષિનું તપસ્વી સ્થળ અને ઉત્તર ગુજરાતના પવિત્ર નગર ગણાતા સિદ્ધપુર ખાતે બિંદુ સરોવર પાસે કર્દમ આશ્રમમાં ગાદીપતિ શ્રી નારાયણશરણદાસ મહારાજની નિશ્રામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રાધા અષ્ટમી નિમિત્તે ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી રાધારાનીનો જન્મદિવસ હોવાથી ભજન-સત્સંગ, રાત્રે ભજન સંધ્યા, હાજર રહેલા સંતોનું સન્માન, અને ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાધાષ્ટમી સિવાય પણ જન્માષ્ટમી, દિવાળી અન્નકૂટ દર્શન, ગોવર્ધન પર્વત પૂજા, ગુરુ પૂર્ણિમા મહોત્સવ વગેરે અનેક પવિત્ર દિવસોમાં મહારાજ શ્રી દ્વારા આવા ધાર્મિક- સેવાકીય પોગ્રામો કરવામાં આવે છે.
અહીં તેમની સાથે મહંત માધવદાસ મહારાજે પણ વિશેષ સેવાઓ આપી હતી.
આ સિવાય તેમના હરદ્વાર અને બીજા આશ્રમોમાં પણ આવી અનેક સેવાકીય પ્રવુતિઓ ચાલતી હોય છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર