પાટણ જિલ્લાના *રાધનપુર: A+પોઝિટિવ બ્લડ ની દર્દીને તાત્કાલિક જરૂર જણાતા સેવાભાવી યુવાને બ્લ્ડ ડોનેટ કરી માનવતા નું ઉતમ ઉદાહરણ પૂરું પાડયું*
પાટણ જિલ્લાના
*રાધનપુર: A+પોઝિટિવ બ્લડ ની દર્દીને તાત્કાલિક જરૂર જણાતા સેવાભાવી યુવાને બ્લ્ડ ડોનેટ કરી માનવતા નું ઉતમ ઉદાહરણ પૂરું પાડયું*
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ ભાભર રોડ પર આસ્થા હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દી સાણસરા ગામ ના આહિર પરિવારને બ્લ્ડ ની તાત્કાલિક જરૂર જણાતા સેવાભાવી અને પત્રકારત્વ સાથે જોડાયેલા યુવાન અનિલ રામાનુજ ને ડો.પરિમલ ઠક્કર દ્વારા જાણ કરતાં તાત્કાલિક ધોરણે અનીલભાઈએ મિત્ર સર્કલ માં બ્લડ માટે કોન્ટેક્ટ કર્યો હતો.અનિલભાઈ એ શૈલેષભાઈ ઠાકોર કે જેઓ બ્લ્ડ સેવા સાથે સંકળાયેલા છે તેઓના કોન્ટેક્ટ કરતા બ્લ્ડ ની વ્યવસ્થા કરવામાં આવી હતી. મૂળ મહેમદાવાદના વતની જાકીરભાઈ રાઉમા ને બ્લ્ડ માટે વાત કરતા તેઓ પોતાની ચાલુ નોકરી ફરજ પરથી રજા લઇને તાત્કાલિક હોસ્પિટલ પહોંચીને રક્તદાન કરી માનવતાનું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
A+ પોઝિટિવ બ્લડ ની દર્દીને જરૂર જણાતા અનિલ રામાનુજ અને શૈલેષભાઈ ઠાકોર દ્વારા સેવા ને લઇને અનેક મિત્રોમાં કોન્ટેક્ટ કરતા જાકિરભાઈને વાત કરતા એક પણ મિનિટ નો વિલંબ કર્યા વિના તાત્કાલિક ઝાકીરભાઈ હોસ્પિટલ પહોંચીને રક્તદાન કરી દર્દીને બ્લ્ડ આપી માનવતા નું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જેને લઇને તેમના મિત્રો અને દર્દીના પરિવારજનોએ જાકીરભાઈ નો આભાર વ્યક્ત કર્યો હતો.
મહત્વનું છે કે દર્દી ને A+ પોઝિટિવ બ્લડ ની જરૂર જણાઈ હતી ત્યારે પરિવારે રાધનપુર ખાતે આવેલ ભણશાલી બ્લ્ડ બેંક પહોચ્યા હતા.પરંતુ ત્યાં બ્લડ નો સ્ટોક ના હોવાના કારણે બ્લડ ની વ્યવસ્થા નાં થઈ ને બાદમાં રાધનપુરના સેવાભાવી પ્રકાશભાઈ દક્ષિણી દ્વારા રાધનપુરના સેવાભાવી ડોક્ટર પરિમલ ઠક્કર ને વાત કરી હતી.અને ડોક્ટર પરિમલ ઠક્કર દ્વારા સેવાભાવી યુવાન અનિલ રામાનુજ કે જેઓ રાધનપુર ખાતે નિષ્ઠાપૂર્વક પત્રકાર ક્ષેત્રે ફરજ બજાવે છે તેમનો કોન્ટેક્ટ કરી બ્લડ વ્યવસ્થા માટે વાત કરવામાં આવી હતી.ત્યારે તરત જ પોતાના મિત્ર સર્કલ માં ફોન કરતા વ્યવસ્થા કરવામાં આવે છે. રાઉમાં જાકિરભાઈ મહેમદાવાદ નાં યુવક બ્લડ આપવા તાત્કાલિક હોસ્પિટલ પહોંચી બ્લડ આપી માનવતા નું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.જેને લઇને શ્રી સદારામ બ્લડ સેવા સમિતિ સાથે સંકળાયેલા રાધનપુરનાં શૈલેષભાઈ ઠાકોર,અનિલ રામાનુજ પત્રકાર,પ્રકાશ દક્ષિણી, ડો.પરિમલ ઠક્કર સહિતના મિત્રો આગેવાનોએ ઝાકિરભાઈ નો આભાર વ્યકત કર્યો હતો.